રાજ્ય સરકારે 2 આઇએએસ અધિકારીની બદલીના ઓર્ડર કર્યા

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

ગુજરાત સરકારે બે આઈએએસ અધિકારીના બદલી ઓર્ડર કર્યા છે જેમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર IAS મિહિર પ્રવિણકુમાર પટેલની બદલી કરવામાં આવી. તેમજ બનાસકાંઠાના કલેકટર વરુણ કુમાર બરનવાલની પણ બદલીનો આદેશ અપાયો છે. બનાસકાંઠાના નવા કલેકટર તરીકે 2015ની બેચના મિહિર પટેલ ની થઈ નિમણુંક. અમદાવાદ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર મિહિર પટેલ બન્યા બનાસકાંઠાના કલેક્ટર.  પૂર્વ કલેકટર વરુણ કુમાર બરનવાલની નિયુક્તિ ભારત કેન્દ્રિય પિયુષ ગોયલ ના કાર્યાલયમાં થવાથી જગ્યા ખાલી પડી હતી. કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલના મંત્રાલય માં ખાસ ફરજ પરના અધિકારી તરીકે વરુણ કુમારની  નિયુક્તિ થઈ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *