રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવણી:૨૦૨૫ નિમિત્તે માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારી-

સોશિયલ મીડિયા પર શેર કરો

કર્મંચારીઓએ શપથ ગ્રહણ કર્યા

લોહ પુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી પ્રતિવર્ષ ‘રાષ્ટ્રીય એકતા દિન’ તરીકે સમગ્ર દેશમાં ઉજવવામાં આવે છે. આ ઉજવણી અંતર્ગત સૌ દેશવાસીઓ એકતાના શપથ ગ્રહણ કરે છે જેના ભાગરૂપે માહિતી નિયામકશ્રીની કચેરીના અધિકારી -કર્મંચારીઓએ આજે શપથ ગ્રહણ કર્યા હતા. આ પ્રસંગે માહિતી નિયામક શ્રી કે.એલ. બચાણી,અધિક માહિતી નિયામક શ્રી અરવિદ પટેલ, સંયુકત માહિતી નિયામક શ્રી જયેશ દવે સહિત અધિકારી- કર્મંચારીઓએ શપથ ગ્રહણ કર્યા હતા.

રાષ્ટ્રીય એકતા દિવસની પ્રતિજ્ઞા અક્ષરશ: આ મુજબ છે.

હું ગંભીરતાથી શપથ લઉં છું કે હું રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે મારી જાતને સમર્પિત કરીશ અને મારા દેશવાસીઓમાં આ સંદેશ પહોંચાડવા માટે મારા શ્રેષ્ઠ પ્રયાસો કરીશ. હું સરદાર વલ્લભભાઈ પટેલના વિઝન અને કાર્યો દ્વારા મારા દેશની એકતાની ભાવના વધુ મજબૂત બને તે માટે આ શપથ લઉં છું. હું મારા દેશની આંતરિક સુરક્ષા સુનિશ્ચિત કરવામાં યોગદાન આપવાનો પણ ગંભીરતાથી સંકલ્પ કરું છું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *