વન- પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ન – નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

ગાંધીનગર,

વન અને પર્યાવરણ મંત્રી શ્રી અર્જુનભાઈ મોઢવાડિયા તથા અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીએ સ્વર્ણિમ સંકુલ-૧, ગાંધીનગર ખાતે પૂજન-અર્ચન બાદ હોદ્દાનો વિધિવત રીતે પદભાર સંભાળ્યો હતો. 

આ ઉપરાંત કૃષિ રાજ્ય મંત્રી શ્રી રમેશભાઈ કટારાએ તથા આદિજાતિ રાજ્ય મંત્રી શ્રી પી.સી. બરંડાએ પણ આજે સ્વર્ણિમ સંકુલ-૨, ગાંધીનગર ખાતે ભગવાનની પૂજા-અર્ચના બાદ હોદ્દાનો ચાર્જ સંભાળ્યો હતો.

મંત્રીશ્રીઓએ ચાર્જ સંભાળ્યો તે પ્રસંગે વિવિધ પદાધિકારી-અધિકારી અને કર્મચારીઓ સહિત અનેક શુભેચ્છકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *