કેબિનેટ દ્વારા ‘પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના’ને મંજૂરી – રોજગાર, નોકરીની લાયકાત અને સામાજિક સુરક્ષામાં વધારો
અમદાવાદ અમદાવાદ ખાતે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી માં કેન્દ્ર સરકારના શ્રમ અને રોજગાર મંત્રાલયના સંયુક્ત સચિવ ડૉ. મહેન્દ્ર કુમારની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં EPFO, ESIC, રીજનલ લેબર કમિશનર અને વિવિધ ઉદ્યોગો સહિત અંદાજે 100 પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. આ બેઠકનો ઉદ્દેશ્ય પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના ની અસરકારક અમલવારી માટે તમામ હિતધારકોને સાથે લાવવાનો હતો. કેન્દ્રીય કેબિનેટે આ યોજના 1 જુલાઈ 2025ના રોજ મંજૂર કરી હતી. આ યોજના હેઠળ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 સુધીમાં 3.5 કરોડ નોકરીઓ સર્જવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ખાસ ધ્યાન **મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર** પર આપવામાં આવ્યું છે. યોજનો પર કુલ ખર્ચ: ₹99,446 કરોડ 2 ભાગો: ભાગ A – પ્રથમ વખત નોકરી કરનારા માટે | ભાગ B – નિયામકો માટે પ્રોત્સાહન ભાગ A: પ્રથમ વખત નોકરી લેનારાઓ માટે પ્રોત્સાહન અમુક રકમ બચત ખાતામાં જમા થશે, જે નિર્ધારિત સમય પછી ઉપાડી શકાય છે. આશરે 1.92 કરોડ લોકો ભાગ A હેઠળ લાભાર્થી બનશે. ભાગ B: નિયામકો માટે સહાય EPF પગાર શ્રેણી નિયામકને સહાય (દર મહિને) ₹10,000 સુધી ₹1,000 સુધી (અનુપાત પ્રમાણે) ₹10,000…

