અમદાવાદ,
અમદાવાદ શહેરના વટવા GIDC ના ફેઝ 4માં રવિવારે (8 જૂન) આગ લાગવાની ઘટના બની હતી. વટવાના રામદેવ એસ્ટેટ-4માં જયશ્રી કેમિકલ ફેક્ટરીમાં આગ લાગતા સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો.
આ સમગ્ર આગની ઘટના મામલે મીડિયા સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, અમદાવાદના વટવા GIDCના ફેઝ 4માં ફરી એક વખત આગ લાગવાની ઘટના બની છે. જેમાં કેમિકલની ફેકટરીમાં આગ લાગતા અફરા-તફરી સર્જાઈ હતી. વેલ્ડિંગની કામગીરી દરમિયાન સ્પાર્કના કારણે આગ લાગી હોવાનું સામે આવ્યું છે. જ્યારે આગના બનાવમાં કોઈ પ્રકારે જાનહાનિ થઈ ન હતી.
ઉલ્લેખનીય છે કે, લગભગ એક મહિના પહેલા આજ જગ્યાએ ભીષણ આગની ઘટના બની હતી. તે વખતે આગના ઘટનામાં દૂર દૂર સુધી ધૂમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. જ્યારે ફરી એક મહિના બાદ અહીં વધુ એક આગનો બનાવ બન્યો હતો.