અમદાવાદ,
સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.. સતત વધી રહેલા કેસોએ ચિંતાનો માહોલ સર્જ્યો છે.. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 71 નવા કેસ નોંધાયા છે.. અને છેલ્લા 24 કલાકમાં કોરોનાથી વધુ એક દર્દીનું મોત થયું છે.
હાલ અમદાવાદ શહેરમાં કોરોનાના 281 એક્ટિવ કેસ નોંધાયા છે. જેમાં સૌથી વધુ સંક્રમણ ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 95 નોંધાયા છે. પશ્ચિમ ઝોનમાં કોરોનાના 86 પોઝિટિવ દર્દીઓ છે. સ્ટેડિયમ વોર્ડના દર્દીનું સોલા સિવિલ હોસ્પિટલમાં મોત થયુ છે. તેમજ અસારવા સિવિલમાં 3 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. છેલ્લા અઠવાડિયામાં 5 કોરોના (Covid19) દર્દીઓ દાખલ હતા. અગાઉ LG હોસ્પિટલમાં 2 મહિલા દર્દીઓના મોત થયા હતા. દેશભરમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યા 4302 પર પહોંચી ગઈ છે. આ કેસ 27 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી નોંધાયા છે. મંગળવારે લગભગ 300 નવા કેસ નોંધાયા છે. કેરળમાં સૌથી વધુ 1373 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્ર 510 કેસ સાથે બીજા સ્થાને છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં કોરોનાના નવા વેરિઅન્ટને કારણે દેશમાં 44 લોકોના મોત થયા છે. આમાંથી છેલ્લા 5 દિવસમાં 37 દર્દીઓના મોત થયા છે.
ભાવનગર શહેરમાં કોરોનાના વધુ 2 કેસ નોંધાયા છે. 29 વર્ષીય યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે. 65 વર્ષીય પુરુષ પણ કોરોનાથી સંક્રમિત થયો છે. રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બંને દર્દીઓને ઘરે જ આઇસોલેટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, 2 દર્દીઓને કોરોના મુક્ત થયા બાદ રજા આપવામાં આવી છે. દેશની વાત કરીએ તો, દેશમાં કોવિડ-19 ના સક્રિય કેસોની સંખ્યા 4302 પર પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19 ના 276 નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં 581 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં 3281 કોવિડ-19 દર્દીઓ સ્વસ્થ થયા છે.