ગાંધીનગર,
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના અધ્યક્ષ સ્થાને મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે યોજાયેલ ૨૦ વર્ષ શહેરી વિકાસના કાર્યક્રમ અંતર્ગત વડાપ્રધાનશ્રીના હસ્તે રૂ.૫,૫૩૬ કરોડના વિવિધ ૨૭ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન કરાયા હતા.

● લોકાપર્ણ ખાતમુહૂર્ત કરાયેલા મહત્વના વિકાસ કાર્યોની વિગતો
¤ પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રૂ. ૧,૦૦૬ કરોડના ખર્ચે તૈયાર થયેલા ૨૨ હજારથી વધુ રહેણાંક એકમોનું લોકાર્પણ
¤ સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ ૧૭ મ્યુનિસિપલ કોર્પોરેશનને રૂ. ૨,૭૩૧ કરોડ અને ૧૪૯ મ્યુનિસિપાલિટીને રૂ. ૫૬૯ કરોડના ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું.
¤ અમદાવાદ ખાતે રૂ. ૧ હજાર કરોડના ખર્ચે બનનારા સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ-૩નું ખાતમુહૂર્ત
¤ શહેરી વિકાસ વિભાગ હેઠળ જામનગર, સુરત, અમદાવાદ, ગાંધીનગર અને જૂનાગઢના કુલ રૂ.૧,૪૪૭ કરોડના વિવિધ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
¤ જળ સંસાધન વિભાગ હેઠળ રૂ. ૧,૮૬૦ કરોડથી વધુના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
¤ સુરતના કાંકરા-ખાડીના કિનારે રૂ. ૧૪૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા બાયોડાયવર્સિટી પાર્કનું લોકાર્પણ
¤ માર્ગ અને મકાન વિભાગ હેઠળ રૂ.૧૭૦ કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત
¤ બનાસકાંઠામાં રૂ. ૮૮૮ કરોડના ખર્ચે બનનારી થરાદ ધાનેરા પાઇપલાઇન, રૂ.૬૭૮ કરોડના ખર્ચે દિયોદર લાખણી પાઇપલાઇનનું ખાતમુહૂર્ત
¤ ગાંધીનગર ખાતે રૂ. ૮૪ કરોડના ખર્ચે યુ.એન. મહેતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ
¤ અમદાવાદમાં રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૧,૮૦૦ બેડ ધરાવતા IPD સાથે ૫૦૦ બેડની સુવિધા સાથેના ચેપી રોગ માટેના OPD બ્લોકનું ખાતમુહૂર્ત

