ઉત્તર ચીનમાં 1 નર્સિંગ હોમમાં આગ લાગવાથી 20 લોકોના મોત

સોશિયલ મીડિયા પર શેર કરો

શિન્હુઆ,

ઉત્તર ચીનમાં એક નર્સિંગ હોમમાં ભયાનક આગ લાગવાની ઘટના બની હતી જેમાં 20 લોકોના મોત થયા હતા. જોકે હજુ સુધી આગ કેમ લાગી તેનું કારણ જાણી શકાયું નથી. 

આ આગની ઘટના મામલે, શિન્હુઆના સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર, 8 એપ્રિલે રાત્રે 9 વાગ્યે હેબેઈ પ્રાંતમાં ચેંગડે શહેર સ્થિત એક નર્સિંગ હોમમાં આગ લાગી હતી. નર્સિંગ હોમમાં આગ લાગ્યા બાદ સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ કુલ કેટલાં લોકો ઈજાગ્રસ્ત થયાં તેની ચોક્કસ માહિતી સામે નથી આવી. જોકે, અત્યાર સુધી 20 લોકોના આગમાં બળીને મોત થયાની માહિતી સામે આવી છે. 

જો કે, નર્સિંગ હોમમાં  અચાનક ફાટી નીકળેલી ભયાનક આગ બાબતે ફાયરની ટીમ દ્વારા હજુ સુધી ચોક્કસ કારણ વિશે તપાસ કરવામાં આવી રહી છે સાથેજ તંત્ર દ્વારા સમગ્ર સ્થિતિની તપાસ કરવામાં આવી રહી છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *