15મી ઓગસ્ટએ મહાઆત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો મળ્યો

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

15મી ઓગસ્ટ એ તારીખ છે જ્યારે ભારતે બ્રિટિશરોથી આઝાદી મેળવી હતી. વિદેશી શક્તિઓએ દેશના નેતાઓને ભારતના નિયંત્રણની લગામ સોંપી દીધી હતી. પરંતુ આ આઝાદી પાછળ સેંકડો લોકોનો સંઘર્ષ હતો. ઘણા સ્વાતંત્ર્ય સેનાનીઓએ પોતાના જીવનનું બલિદાન આપ્યું. આ લડવૈયાઓમાંના એક છે મહાત્મા ગાંધી જેમને ‘રાષ્ટ્રપિતા’નો દરજ્જો મળ્યો છે. ચાલો જાણીએ કે મહાત્મા ગાંધીને સૌથી પહેલા કોણે રાષ્ટ્રપિતા કહ્યા હતા.   એવું મનાય છે કે, દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ સૌપ્રથમ મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા કહ્યા હતા. મીડિયા અહેવાલ મુજબ ગાંધીજીના મૃત્યુ પછી ભારતના તત્કાલીન વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ રેડિયો દ્વારા રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને કહ્યું હતું કે ‘રાષ્ટ્રપિતા હવે નથી રહ્યા’. પરંતુ તેમના પહેલા કોંગ્રેસના નેતા સુભાષચંદ્ર બોઝે મહાત્મા ગાંધીને ‘રાષ્ટ્રપિતા’ કહ્યા હતા.  સુભાષચંદ્ર બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા હતા. પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ, 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.   સુભાષચંદ્ર બોઝ ગાંધીજીને ખૂબ માન આપતા હતા. પરંતુ તેમના માટે ગાંધીજીની ઈચ્છા એ અંતિમ નિર્ણય ન હતો. 1940માં કોંગ્રેસની યોજનાઓથી દૂર કામ કરી રહેલા સુભાષ બાબુની ધરપકડ કરવામાં આવી હતી. ગાંધીજીએ 9 જુલાઈ, 1940ના રોજ સેવાગ્રામમાં કહ્યું હતું કે, સુભાષ બાબુ જેવા મહાન વ્યક્તિની ધરપકડ એ કોઈ નાનીસૂની વાત નથી, પરંતુ સુભાષબાબુએ ખૂબ સમજણ અને હિંમતથી તેમની લડાઈનું આયોજન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *