સંસ્કૃતિ મંત્રાલયના હસ્તક્ષેપ બાદ સોથેબીઝ હોંગકોંગે પિપ્રાહવા બૌદ્ધ અવશેષોની હરાજી મુલતવી રાખી

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

સોથેબીઝ હોંગકોંગ દ્વારા પવિત્ર પિપ્રાહવા બૌદ્ધ અવશેષોની હરાજીની મુલતવી રાખવામાં સફળતાપૂર્વક સફળતા મેળવી છે. જે 7 મે, 2025ના રોજ યોજાવાની હતી.

1898માં વિલિયમ ક્લાક્સટન પેપ્પે દ્વારા ખોદકામ કરીને પિપ્રાહવા અવશેષો શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ઐતિહાસિક બુદ્ધના અસ્થિ ટુકડા, સાબુના પથ્થર અને સ્ફટિકના કાસ્કેટ, રેતીના પથ્થરનો કોફર અને સોનાના આભૂષણો અને રત્નો જેવા પ્રસાદનો સમાવેશ થાય છે.

એક કાસ્કેટ પર બ્રાહ્મી લિપિમાં લખાયેલ શિલાલેખ આ અવશેષોને બુદ્ધના અવશેષો તરીકે પુષ્ટિ આપે છે. જે શાક્ય કુળ દ્વારા જમા કરવામાં આવ્યા હતા. આમાંથી મોટાભાગના અવશેષો 1899માં કોલકાતાના ભારતીય સંગ્રહાલયમાં સ્થાનાંતરિત કરવામાં આવ્યા હતા અને ભારતીય કાયદા હેઠળ ‘AA’ પ્રાચીન વસ્તુઓ તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યા હતા. જેના કારણે તેમને દૂર કરવા અથવા વેચાણ કરવા પર પ્રતિબંધ હતો. અસ્થિ અવશેષોનો એક ભાગ સિયામના રાજાને ભેટમાં આપવામાં આવ્યો હતો, જ્યારે WC પેપ્પેના પ્રપૌત્ર, ક્રિસ પેપ્પે દ્વારા રાખવામાં આવેલા અંતિમ સંસ્કાર રત્નોનો એક ભાગ હરાજી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો હતો.

મીડિયા અહેવાલો દ્વારા હરાજી વિશે જાણ થતાં, સંસ્કૃતિ મંત્રાલયે તાત્કાલિક નીચેની કાર્યવાહી શરૂ કરી હતી:

  • 2 મે, 2025ના રોજ, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ (ASI)ના ડાયરેક્ટર જનરલે હોંગકોંગના કોન્સ્યુલેટ જનરલને પત્ર લખીને હરાજી તાત્કાલિક બંધ કરવાની વિનંતી કરી હતી.
  • તે જ દિવસે દ્વિપક્ષીય બેઠક દરમિયાન, સંસ્કૃતિ મંત્રી શ્રી ગજેન્દ્ર સિંહ શેખાવતે યુકેના સંસ્કૃતિ, મીડિયા અને રમતગમત સચિવ, માનનીય લિસા નંદી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો, અવશેષોના સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ પર ભાર મૂક્યો અને તાત્કાલિક પગલાં લેવા વિનંતી કરી હતી .
  • 5 મે, 2025ના રોજ, સંસ્કૃતિ મંત્રાલયના સચિવે આગળના પગલાંની ચર્ચા કરવા માટે એક સમીક્ષા બેઠક બોલાવી હતી.
  • સોથેબીઝ (પ્રતિનિધિઓ શ્રીમતી આઇવી વોંગ અને જુલિયન કિંગ દ્વારા) અને ક્રિસ પેપ્પીને હરાજી રોકવાની માંગણી કરતી કાનૂની નોટિસ જારી કરવામાં આવી હતી.
  • વિદેશ મંત્રાલયને વિનંતી કરવામાં આવી હતી કે તેઓ તેમના યુરોપ પશ્ચિમ અને પૂર્વ એશિયા વિભાગો દ્વારા યુકે અને હોંગકોંગના દૂતાવાસો સાથે સંપર્ક કરે જેથી હરાજી બંધ થાય.

5 મે, 2025ના રોજ, સોથેબી’સ હોંગકોંગે ઈમેલ દ્વારા કાનૂની નોટિસનો સ્વીકાર કર્યો, અને ખાતરી આપી કે આ મામલો વિચારણા હેઠળ છે અને લેખિત જવાબ સબમિટ કરવામાં આવશે.

6 મે, 2025ના રોજ, સંસ્કૃતિ મંત્રાલયના સચિવના નેતૃત્વમાં એક ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિમંડળે, જેમાં સંયુક્ત સચિવ (પૂર્વ એશિયા વિભાગ, MEA) અને હોંગકોંગમાં ભારતના કોન્સ્યુલ જનરલનો સમાવેશ થતો હતો, સોથેબીના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી. પ્રતિનિધિમંડળે એ વાત પર ભાર મૂક્યો કે અવશેષો સામાન્ય કલાકૃતિઓ નથી પરંતુ વિશ્વભરના લાખો બૌદ્ધો માટે તેનું પવિત્ર મહત્વ છે. એ વાત પર વધુ ભાર મૂકવામાં આવ્યો કે અવશેષો યોગ્ય રીતે ભારતના છે, જ્યાંથી તેમને વસાહતી યુગ દરમિયાન લેવામાં આવ્યા હતા.

6 મે, 2025ના રોજ મોડી રાત્રે, સોથેબી’સ હોંગકોંગે ઇમેઇલ દ્વારા જાણ કરી કે પિપ્રાહવા અવશેષોની હરાજી મુલતવી રાખવામાં આવી રહી છે અને વધુ ચર્ચાઓનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ સોથેબીની વેબસાઇટ પરથી હરાજી પૃષ્ઠ દૂર કરવામાં આવ્યું હતું.

મંત્રાલયના પ્રયાસોને – યુનેસ્કોમાં ભારતના કાયમી પ્રતિનિધિ, ક્રિસ્ટા પિક્કટ, ડિરેક્ટર, યુનેસ્કો, ભારત, શ્રીલંકા અને અન્ય દેશોના બૌદ્ધ સંગઠનો, પ્રો. નમન આહુજા દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. જેમણે પ્રધાનમંત્રી પોર્ટલ અને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મીડિયામાં રજૂઆત કરી હતી.

સંસ્કૃતિ મંત્રાલય, ASI અને MEAના સહયોગથી, હવે અવશેષોને ભારતમાં પરત લાવવા અંગે ચર્ચાઓ આગળ વધારવા માટે તમામ હિતધારકોને જોડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *