પ્રધાનમંત્રીશ્રી મોદી દ્વારા પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. શ્રી મોદીએ કહ્યું કે પરમ પૂજ્ય દલાઈ લામા પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના કાયમી પ્રતીક રહ્યા છે. તેમના સંદેશે તમામ ધર્મોમાં આદર અને પ્રશંસાને પ્રેરણા આપી છે, શ્રી મોદીએ વધુમાં કહ્યું.

X પર એક સંદેશમાં પ્રધાનમંત્રીએ કહ્યું;

“હું પરમ પૂજ્ય દલાઈ લામાને તેમના 90મા જન્મદિવસ પર 1.4 અબજ ભારતીયો સાથે હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું. તેઓ પ્રેમ, કરુણા, ધૈર્ય અને નૈતિક શિસ્તના કાયમી પ્રતીક રહ્યા છે. તેમના સંદેશે તમામ ધર્મોમાં આદર અને પ્રશંસાને પ્રેરણા આપી છે. અમે તેમના સતત સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરીએ છીએ. @DalaiLama”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *