દિલ્હી વિધાનસભામાં ભાજપની બમ્પર જીત અને આપ ની કારમી હાર બાદ રાજકીય નેતાઓ દ્વારા આપવામાં આવેલ પ્રતિક્રિયાઓ 

સોશિયલ મીડિયા પર શેર કરો

નવી દિલ્હી,

દિલ્હી વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી ગયા છે, જેમાં 27 વર્ષ પછી દિલ્હીમાં ભાજપની સરકાર બની રહી છે અને સમગ્ર ચૂંટણી દરમિયાન AAPનું પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું છે. હવે આ પરિણામો પર રાજકીય નેતાઓના નિવેદનો સામે આવ્યા છે.

સમાજસેવક અણ્ણા હજારેએ કહ્યું, “…લોકોને નવી પાર્ટીમાં વિશ્વાસ હતો. પરંતુ પાછળથી, દારૂની દુકાનોની સંખ્યામાં વધારો થવાને કારણે તેમની (અરવિંદ કેજરીવાલની) છબી ખરાબ થવા લાગી. નિઃસ્વાર્થપણે લોકોની સેવા કરવી એ ભગવાનની પૂજા છે, આ તેઓ સમજી શક્યા નહીં, જેના કારણે તેઓ ખોટા રસ્તે ચાલ્યા ગયા.”

આમ આદમી પાર્ટી- આપ ના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, “અમે લોકોના જનાદેશને ખૂબ જ નમ્રતાથી સ્વીકારીએ છીએ. હું ભાજપને આ જીત માટે અભિનંદન આપું છું અને મને આશા છે કે તેઓ તે બધા વચનો પૂરા કરશે જેના માટે લોકોએ તેમને મત આપ્યા છે. અમે છેલ્લા 10 વર્ષમાં આરોગ્ય, શિક્ષણ, માળખાગત સુવિધાઓના ક્ષેત્રમાં ઘણું કામ કર્યું છે. અમે ફક્ત રચનાત્મક વિપક્ષની ભૂમિકા જ નહીં ભજવીશું પણ લોકોની વચ્ચે રહીશું અને તેમની સેવા કરતા રહીશું…”

પૂર્વ મુખ્યમંત્રી ને હરાવનાર નવી દિલ્હી બેઠક પરથી ભાજપના ઉમેદવાર પ્રવેશ વર્માએ કહ્યું, “હું દિલ્હીના તમામ લોકોને અભિનંદન આપું છું, તેમનો આભાર માનું છું… દિલ્હીમાં બનનારી આ સરકાર વડા પ્રધાનના વિઝનને દિલ્હીમાં લઈને આવશે. હું આ જીતનો શ્રેય વડા પ્રધાન મોદીને આપું છું. હું દિલ્હીના લોકોનો આભાર માનું છું. આ જીત વડા પ્રધાન મોદી અને દિલ્હીના લોકોની જીત છે.”

આપ નેતા અને જંગપુરા વિધાનસભા મતવિસ્તારથી ઉમેદવાર મનીષ સિસોદિયાએ કહ્યું, “જંગપુરાના લોકોએ ઘણો પ્રેમ આપ્યો પણ અમે લગભગ 600 મતોથી પાછળ રહી ગયા. અમે જીતેલા ઉમેદવારોને અભિનંદન આપીએ છીએ. અમને આશા છે કે તેઓ જંગપુરાના લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવશે.”

ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ કહ્યું, “લોકોએ વડા પ્રધાન મોદીની ગેરંટી પર વિશ્વાસ કર્યો છે કારણ કે તેઓ જે કહે છે તે કરે છે. લોકો ડબલ-એન્જિનવાળી સરકારોને પસંદ કરી રહ્યા છે કારણ કે ડબલ-એન્જિન સરકારો સતત વિકાસ કરી રહી છે… મેં પોતે જોયું કે છેલ્લા 10 વર્ષથી અરવિંદ કેજરીવાલ અને તેમની સરકાર સામે લોકોમાં કેટલો ગુસ્સો હતો. પરિવર્તનની લહેર સ્પષ્ટ હતી… હવે દિલ્હીમાં ચારેતરફ વિકાસ થશે…”

શિવસેનાના નેતા સંજય નિરુપમે કહ્યું, “હું ભાજપને તેની ઐતિહાસિક જીત બદલ અભિનંદન આપું છું… અરવિંદ કેજરીવાલ ભ્રષ્ટાચાર વિરોધી આંદોલન ચલાવીને સત્તામાં આવ્યા અને કેજરીવાલ પોતે ભ્રષ્ટાચારના આરોપમાં જેલમાં ગયા… કોંગ્રેસની વાત કરીએ તો, કોંગ્રેસ આખા દેશમાં વેન્ટિલેટર પર છે, તેમને હવે જનતાની કોઈ ચિંતા નથી…”

શિવસેના (UBT) નેતા સંજય રાઉત કહે છે કે, શરૂઆતના વલણોમાં જ કઠિન સ્પર્ધા દેખાઈ રહી છે. જો કોંગ્રેસ અને આપ સાથે હોત તો પરિણામો અલગ હોત. આપ અને કોંગ્રેસનો રાજકીય હરીફ ભાજપ છે. બંનેએ ભાજપને સત્તામાં આવતા અટકાવવા માટે લડ્યા, પરંતુ તેઓ અલગથી લડ્યા. જો તેઓ સાથે હોત, તો (ગણતરીના) પહેલા કલાકમાં જ ભાજપની હાર નિશ્ચિત હોત. 

કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીએ કહ્યું, “મને લાગે છે કે દિલ્હીમાં અમારી બધી બેઠકો અને હું જે લોકોને મળી રહી હતી તેનાથી સ્પષ્ટ હતું કે લોકો પરિવર્તન ઇચ્છે છે અને તેઓ એ વસ્તુઓથી કંટાળી ગયા હતા. તેમણે પરિવર્તન માટે મતદાન કર્યું છે, જીતનારાઓને અભિનંદન. આપણે વધુ મહેનત કરવી પડશે, અમે લોકોના મુદ્દાઓ ઉઠાવતા રહીશું.”

કોંગ્રેસના નેતા ઉદિત રાજે કહ્યું, “વલણોથી લાગે છે કે ભાજપ સરકાર બનાવશે અને કોંગ્રેસનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું છે. જો અમારા મતની ટકાવારી વધે તો પણ તે અમારી હાર છે, કારણ કે કોંગ્રેસના મત ભાજપને ગયા… મધ્યમ વર્ગ અરવિંદ કેજરીવાલથી ખૂબ ગુસ્સે હતો… AAP ને જે મત મળ્યા તે પણ ફક્ત લાભાર્થીઓના મત છે. AAP ને વિચારધારાનો મત મળતો નથી…”

કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામો પર કહ્યું, “દિલ્હીના લોકો નેરેટિવ પર ચાલી રહ્યા હતા. જુઠ્ઠાણાઓનો ઢગલો ખતમ થઈ ગયો છે, લોકોને વડા પ્રધાન મોદી પર વિશ્વાસ છે. બધાએ વચનો આપ્યા પણ લોકોને ફક્ત વડા પ્રધાન મોદી પર વિશ્વાસ છે. આગામી દિવસોમાં દિલ્હીનો વિકાસ થશે… અરવિંદ કેજરીવાલ શબ્દયુદ્ધ લડી રહ્યા હતા…”

હરિયાણાના મંત્રી અનિલ વિજે કહ્યું, “ભાજપ દિલ્હીમાં સરકાર બનાવવા જઈ રહી છે. AAPની હાર બાદ, જુઠ્ઠાણા, છેતરપિંડી અને મફતની રાજનીતિનો અંત આવી રહ્યો છે… દિલ્હીના સમજદાર લોકોએ ખૂબ જ સારો નિર્ણય આપ્યો છે કે કોંગ્રેસ હવે આ દેશમાં શૂન્ય છે.”

કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું, “દિલ્હીના લોકોએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે, આ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે. અમે દિલ્હીને પ્રદૂષણ મુક્ત અને વિશ્વનું સૌથી સુંદર શહેર બનાવવા માંગીએ છીએ. મને વિશ્વાસ છે કે વડા પ્રધાન મોદીના નેતૃત્વમાં દિલ્હીનું ચિત્ર બદલાશે. અમને અપેક્ષા કરતાં વધુ સારી જીત મળી છે.”

કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું, “વડાપ્રધાન મોદીએ દેશને સુશાસનનું એક મોડેલ આપ્યું છે. દિલ્હીના લોકોએ છેલ્લા 10 વર્ષમાં ભ્રષ્ટાચાર અને અરાજકતા જોઈ છે. લોકોએ વડા પ્રધાનને વિજય અપાવ્યો છે… હવે દિલ્હીના લોકો વિકાસ ઇચ્છે છે, સુશાસન ઇચ્છે છે. ડબલ એન્જિન સરકાર મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે… આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ, અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયાએ દિલ્હીના લોકો સાથે જે વિશ્વાસઘાત કર્યો હતો, તેનો જવાબ લોકોએ આપી દીધો છે.”

કાલકાજી વિધાનસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર રમેશ બિધુરીએ કહ્યું, “આ રમેશ બિધુરીની નહીં, કાલકાજીના લોકોનો લીડ છે… આતિશીએ પીડબ્લ્યુડી મંત્રી અને મુખ્યમંત્રી રહીને કંઈ કર્યું નહીં… તેમની (આમ આદમી પાર્ટી) વિચારસરણી ભારત વિરોધી છે… પાર્ટીએ મને ત્રણ વાર ધારાસભ્ય અને બે વાર સાંસદ બનાવ્યો, પાર્ટી મને આનાથી મોટી જવાબદારી કઈ આપી શકે. દેશમાં 145 કરોડ લોકો છે, જેમાંથી 10 હજાર લોકો રાજકારણમાં છે, પાર્ટીએ મને તેમાંથી એક બનાવ્યો, આનાથી મોટી જવાબદારી શું હોઈ શકે.”

કોંડલી વિધાનસભા મતવિસ્તારમાંથી AAP ઉમેદવાર કુલદીપ કુમારે જીત્યા બાદ કહ્યું, “આ જીત અરવિંદ કેજરીવાલને સમર્પિત છે. તેમણે મને બીજી વખત ટિકિટ આપી અને હું જીતી ગયો છું. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *